૧૭ જુલાઈના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (World Day for International Justice)नी ७४वशी ६२वामां આવે છે. આંતરરાષ્ટ્રીય ન્યાય દિન આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાનાં પ્રયાસરૂપે, સંપૂર્ણ વિશ્વમાં ઉજવવામાં આવે છે. ૧૭ જુલાઈ એ "આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય" (International Criminal Court)ને માન્યતા આપતી "રોમ સંધી"ની (Rome Statute) વર્ષગાંઠ છે. આથી આ દિવસની ઉજવણી માટે તે તારીખ પસંદ કરાયેલી છે.
દર વર્ષે ૧૭ જુલાઈના દિવસે ખાસ તો આંતરરાષ્ટ્રીય અપરાધીક
ન્યાયાલયને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરનાં લોકો આ દિવસની વિવિધકાર્યક્રમો દ્વારા ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વમાં બનતી ખાસ અપરાધીકઘટનાઓ, જેવીકે 'જાતિસંહાર, નરસંહાર, મહિલા અત્યાચારનાં ગંભીરગુનાઓ વગેરે તરફ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો અનેજૂથોનું ધ્યાન આકર્ષે છે અને ગંભીર ગુનાઓ રોકવામાં મદદ કરે છે.
પીડિતોના અધિકારોને પ્રોત્સાહન આપવાનો હેતુ પણ છે. આ રીતે વિશ્વમાંશાંતિ અને સલામતી સ્થાપવામાં ન્યાય દિવસ સહાય કરે છે.
આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ પણ મહત્વનો છે કારણ કે તે ન્યાયની સહાયતા માટે વ્યક્તિઓને સભાનતા વધારવામાં મદદ કરે છે. તે પીડિતોના અધિકારોને પ્રોત્સાહન આપે છે અને ઉપરાંત ગંભીર મુદ્દાઓની દિશામાં વ્યક્તિઓની નજર આકર્ષિત કરે છે.
