• ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓ ગુજરાતના બામણા ગામે ૨૧ જુલાઈ ૧૯૧૧ (અષાઢ વદ ૧૦ વિ.સં. ૧૯૬૭) ના દિવસે જન્મ્યા હતા. તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોશી હતું. તેમના માતા - પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. વયાનુક્રમે તેમના સંતાનોના નામ: રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર ૧૯૩૭માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું. નંદિની અને સ્વાતિ તેમની પુત્રીઓ છે.
• તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા અને ૧૯૩૮માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી એમ.એ. ઉત્તીર્ણ કર્યું. એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા.
• સન્માન
જ્ઞાનપીઠ પુરસ્કાર- ૧૯૬૭
રણજિતરામ સુવર્ણચંદ્રક - ૧૯૩૯
નર્મદ સુવર્ણ ચંદ્રક - ૧૯૪૭
ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક - ૧૯૬૩
સોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ - ૧૯૭૩
મુખ્ય કૃતિ - નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સાતપદ, ધારાવસ્ત્ર, સમગ્ર કવિતા
પદ્ય નાટકો - પ્રાચીના, મહાપ્રસ્થાન
એકાંકી- સાપના ભારા, હવેલી, શહીદ
વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો, ત્રણ અધું બે
નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી, ગોષ્ઠિ
સંશોધન - પુરાણોમાં ગુજરાત, 'અખો' એક અધ્યયન ;
વિવેચન – કવિની શ્રદ્ધા, અભિરુચિ
અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
ચિંતન - ઇશાવાસ્યોપનિષદ
યુરોપયાત્રા (અંગ્રેજી)
બાળગીત - સો વરસનો થા
સંપાદન - કલાન્ત કવિ (કવિ બલાશંકરનાં કાવ્યો)
તંત્રી - 'સંસ્કૃતિ' ૧૯૪૭-૧૯૮૪, બુદ્ધિપ્રકાશ
૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા
