આંતરરાષ્ટ્રીય ન્યાય દિન દર વર્ષ 17 જુલાઇના રોજ ઉજવાય છે.રોમ કાનૂનની ઐતિહાસિક સ્વીકૃતિ અને આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાય પ્રણાલીની ઐતિહાસિક શરૂઆતને ચિન્હિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ પીડિતોના અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેમના ન્યાયને સમર્થન આપવા માટે દરેકને એક કરવાનો છે. આ દિવસ મૂળભૂત માનવ અધિકારોની હિમાયત કરવા અને આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાયને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. માત્સાહઅપરાધીક ન્યાય પ્રણાલીની અદામાં આવરી પડ આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાય ન્ય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાનાં પ્રયાસરૂપે સમગ્ર વિશ્વમાં 17 જુલાઇના રોજ આંતરરાષ્ટ્રીય ન્યાય દિન ઉજવવામાં આવે છે. 17 જુલાઇ એ ‘આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય' (International Criminal Court)ને માન્યતા આપતી 'રોમ સંધી'ની (Rome Statute) વર્ષગાંઠ છે. આથી, ન્યાય અંગેના વિશ્વ દિવસની ઉજવણી માટે આ તારીખ પસંદ કરવામાં આવી છે. દર વર્ષે ખાસ તો આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલયને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરનાં લોકો આ દિવસની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વમાં બનતી ખાસ અપરાધીક ઘટનાઓ જેવી કે જાતિસંહાર, નરસંહાર, મહિલા અત્યાચારનાં ગંભીર ગુનાઓ તરફ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો અને સમૂહનું ધ્યાન આકર્ષે છે. અને ગંભીર ગુનાઓ રોકવામાં મદદ કરે છે. પીડિતોના અધિકારોને પ્રોત્સાહન આપવાનો હેતુ પણ છે. આ રીતે વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવામાં ન્યાય દિવસ સહાય કરે છે.
