દલસુખ ડાહ્યાભાઈ માલવણિયા (જન્મ : ૨૨ જુલાઈ ૧૯૧૦ - અવસાન : ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૦) : ઈતિહાસ-સંશોધક, સંપાદક. જન્મ સાયલા (જિ.સુરેન્દ્રનગર)માં. સાયલામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થાય તે પહેલાં પિતાજીનું અવસાન. જયપુર, બ્યાવર વગેરે સ્થળે જૈન ગુરુકુળોમાં રહી ‘જૈન વિશારદ’ અને ‘ન્યાયતીર્થ’ની પદવીઓ મેળવી. હું પંડિત બેચરદાસ દોશી પાસે સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણશાસ્ત્રનો અને વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ. ૧૯૩૨માં શાંતિનિકેતન જઈ પાલી ભાષા તથા બૌદ્ધ દર્શનનો અભ્યાસ. અહીં મુનિશ્રી જિનવિજયજી સાથે સંપર્કમાં આવતાં એમના ગંભીર -અધ્યયનને નવું બળ મળ્યું. ૧૯૩૪થી સ્થાનકવાસી જૈનોના મુખપત્ર 'જૈનપ્રકાશ', મુંબઈમાં. ૧૯૩૮થી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પંડિત સુખલાલજીના વાચક અને પાછળથી ત્યાં જ 'જૈનચેર’ના પ્રોફેસર.
૧૯૫૯થી લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના નિયામક. ૧૯૭૬માં નિવૃત્ત. બનારસ, દિલ્હી, મુંબઈ, ઈન્દોર તથા ઉજ્જૈન યુનિવર્સિટીમાં પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક તેમ જ કેનેડાની ટોરોન્ટ યુનિવર્સિટી, બર્લિનની ફ્રી યુનિવર્સિટી અને પેરીસ યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક. ૧૯૭૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પોરબંદરમાં મળેલા અધિવેશનમાં સંશોધનવિભાગના અધ્યક્ષ. 'સંબોધિ' ત્રૈમાસિકના સંપાદક. દર્શનશાસ્ત્રમાં, ખાસ કરીને જૈનદર્શન પરત્વે આ લેખકનું પ્રદાન નોંધપાત્ર છે. એમણે ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ સંપાદન, સંશોધન, નિબંધાદિ ગ્રંથો લખ્યા છે તેમ જ અનેક વિદ્વતાપૂર્ણ સંપાદનો તેમ જ શ્રદ્ધેય અનુવાદો મળ્યા છે.
૨૨ વર્ષની ઉંમરે ૧૯૩૨માં તેઓ મથુરાબહેન (મથુરાગૌરી) સાથે લગ્નગ્રંથિથી જોડાયા. ૧૯૩૪માં તેઓ મુંબઈમાં સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મુખપત્ર ‘જૈનપ્રકાશ’ની કચેરીમાં રૂ. ૪૦ના માસિક પગારથી જોડાયા. ૧૯૬૫માં તેમનાં પત્ની - અવસાન પામ્યા. એક વર્ષ બાદ તેમનું ' દ્દર્શન' નામક પુસ્તક આગ્રાના સન્મતિ જ્ઞાનપીઠ તરફથી પ્રગટ થયું. દલસુખભાઈને ૧૯૯૨ માં પદ્મ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૦ માં તેમનું અવસાન થયું હતું.
જૈન, બૌદ્ધ તથા ભારતીય દર્શનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાનમાલવણિયા, દલસુખભાઈ
ડાહ્યાભાઈનો જન્મ. 22 જુલાઈ 1910 ના રોજ સાયલામાં થયો હતો. સાયલામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થાય તે પહેલાં
પિતાજીનું અવસાન. જયપુર, બ્યાવર વગેરે સ્થળે જૈન ગુરુકુળોમાં રહી 'જૈન વિશારદ' અને 'ન્યાયતીર્થ'ની પદવીઓ
મેળવી. પંડિત બેચરદાસ દોશી પાસે સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણશાસ્ત્રનો અને વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ,
૧૯૩૨માં શાંતિનિકેતન જઈ પાલી ભાષા તથા બૌધ્ધદર્શનનો અભ્યાસ, અહીં મુનિશ્રી જિનવિજયજી સાથે સંપર્કમાં
આવતાં એમના ગંભીર અધ્યયનને નવું બળ મળ્યું. ૧૯૩૪થી સ્થાનકવાસી જૈનોના મુખપત્ર 'જૈનપ્રકાશ', મુંબઈમાં.
૧૯૩૮થી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પંડિત સુખલાલજીના વાચક અને પાછળથી ત્યાં જ 'જૈનચેર'ના પ્રોફેસર.
૧૯૫૯થી લા.દ. ભારતીય સંસ્કૃતિ વિધામંદિર, અમદાવાદના નિયામક. ૧૯૭૬માં નિવૃત્ત, બનારસ, દિલ્હી, મુંબઇ,
ઇન્દોર તથા ઉજ્જૈન યુનિવર્સિટીમાં પી.એચ.ડી.ના વિધાર્થીઓના માર્ગદર્શક તેમ જ કેનેડાની ટોરોન્ટ યુનિવર્સિટી,
બર્લિનની ફ્રી યુનિવર્સિટી અને પેરીસ યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક. ૧૯૭૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના
પોરબંદરમાં મળેલા અધિવેશનમાં સંશોધનવિભાગના અધ્યક્ષ. 'સંબોધિ' ત્રૈમાસિકના સંપાદક, દર્શનશાસ્ત્રમાં, ખાસ
કરીને જૈનદર્શન પરત્વે આ લેખકનું પ્રદાન નોંધપાત્ર છે. એમણે ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ સંપાદન,
સંશોધન, નિબંધાદિ ગ્રંથો લખ્યા છે તેમ જ અનેક વિદ્વતાપૂર્ણ સંપાદનો તેમ જ શ્રદ્ધેય અનુવાદો મળ્યા છે. સરસ્વતીની
સતત સાધનાને કારણે તેમણે મહાન આચાર્ય શ્રી હેમચંદ્ર, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, આચાર્ય આનંદશંકર ધ્રુવ,
પ્રજ્ઞાચક્ષુ સુખલાલજીની પરંપરાની એક મહાન વિદ્યાવિભૂતિ તરીકે ગુજરાતનું ગૌરવ વધાર્યું. તેઓ વિવેકશીલ અને
પરગજુ હતા. તેમના જીવનમાં સર્વસમદર્શનભાવ જોવા મળતો હતો. પ્રસિદ્ધિની ઝંખના તેમજ ધનસંપત્તિના લોભથી
વેગળા રહેલા, નમ્ર અને નિખાલસ એવા આ પ્રખર પંડિતની વિદ્વત્તાનું બહુમાન 1974માં દિગંબર મુનિશ્રી વિધાનંદજી
પ્રેરિત 'વીર નિર્વાણભારતી' સંસ્થા તરફથી તેમને 'સિદ્ધાંતભૂષણ' પદવી ઉપરાંત પુરસ્કાર અને સન્માનપત્ર અર્પણ
કરીને કરાયું હતું. ભારત સરકારે તેમને પદ્મભૂષણ'ની પદવીથી વિભૂષિત કર્યા હતા.
